Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

કાલે મોરબીમાં વડાપ્રધાન મોદી આવાસ યોજના લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ કરશે

અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ/લોકાર્પણ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદ .

 મોરબી :આવતીકાલે વડાપ્રધાન મોદીના હસ્તે અંબાજી ખાતે આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ થશે. જે અન્વયે મોરબી પાલિકા દ્વારા વર્ચ્યુઅલી કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં લાભાર્થીનો વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ યોજાશે.
વડાપ્રધાન મોદીના હસ્તે આવતીકાલે 30 સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગૃહ પ્રવેશ/લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અને આવાસ યોજનાના લાભાર્થીઓ સાથેના વર્ચ્યુઅલ સંવાદ કાર્યક્રમ મોરબી નગરપાલિકા કમ્પાઉન્ડ, મોરબી ખાતે યોજાશે. સાંજે 5 કલાકે યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે મોરબી શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા ઉપસ્થિત રહેશે.

(9:49 pm IST)