Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગીર સોમનાથમાં સસ્‍તા અનાજ ના દુકાનદારોનું નિરાકરણ નહી આવે તો વિતરણ વ્‍યવસ્‍થા ખોરવાશે

વેરાવળ, તા.૨૯: ગીર સોમનાથ જીલ્લા માં સસ્‍તા અનાજ ની દુકાન ધરાવતા ૩૦૦ થી વધુ દુકાનદારોએ જીલ્લા કલેકટર આવેદન પત્ર પાઠવી દસેક પડતર માંગણી નો નિકાલ કરવા રજુઆત કરાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લામાં સસ્‍તા અનાજની દુકાનો ચલાવતા ૩૦૦ જેટલા દુકાનદારોને ૧૦ જેટલા પ્રશ્‍નોની મુશ્‍કેલીઓ છે અઢી વર્ષ થી રજુઆતો કરવા છતા કોઈ કામગીરી થતી નથી જેથી દુકાનદારોએ રોષભેર જણાવેલ હતું કે જો પ્રશ્‍નનો નિકાલ નહી થાય તો તા.ર ઓકટોમ્‍બર ગાંધી જયંતીના દિવસથી વિતરણ વ્‍યવસ્‍થા અટકાવી દેવામાં આવશે તો તાત્‍કાલીક નિરાકરણ લાવવા જણાવેલ છે.

(1:53 pm IST)