Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સાવરકુંડલા માં શકિતની ભકિત સાથે શહિદવીર ભગતસિંહના જન્‍મદિનની ઉજવણી

 સાવરકુંડલા ખાતે ભગતસિંહ યુવા ગ્રુપ દ્વારા શકિતની ભકિત સાથે શહિદ વિર જવાન ભગતસિંહના જન્‍મ દિનની ઉજવણી કરવામાં આવી હતી સાવરકુંડલા ખાતે નવરાત્રી ઉત્‍સવ દરમ્‍યાન ભગતસિંહના જન્‍મદિનની ઉજવણી મેલડી ચોક ખાતે કરવામાં આવી હતી અહિ આથેલિકોના આમંત્રણને માન આપી ધારાસભ્‍ય પ્રતાપભાઇ દુધાત, પ્રદેશ કોંગ્રેસ મંત્રી ચંદ્રેશભાઇ રવાણી સહિત કોંગી આગેવાનો અને આમ આદમી પાર્ટીના શહેર તાલુકાના આગેવાનો પધાર્યા હતા અને મોગલ માતાજીની આરતી ઉતારવાનો લાભ લીધો હતો. બાદમાં ધારાસભ્‍ય દુધાતના હસ્‍તે શહિદવિર ભગતસિંહના નામની કેક કાપવામાં આવી હતી. તો આમ આદમી પાર્ટી તરફથી યુવા ગ્રુપને શહિદ ભગતસિંહની પ્રતિમાં ભેટ આપવામાં આવી હતી. અને વિરભગતસિંહની દેશ માટેની શહીદો બદલ કૃતજ્ઞના વ્‍યકત કરવામાં આવી હતી  ભુલકાએ શહિદ ભગતસિંહની વેશભુષા ધારણ કરી આકર્ષણ જમાવ્‍યું હતું કાર્યક્રમમાં શહેરભરમાંથી મોટીસંખ્‍યામાં લોકો ઉમટી પડયા હતા આમ શકિતની ભકિત સાથે શહિદના જન્‍મદિનની ઉજવણીનો સમનવય રચાયો હતો.

(1:45 pm IST)