Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

સુત્રાપાડા ઍ.પી.ઍસ.સી.નાં પ્રાંસલી માર્કેટ યાર્ડમાં ૧ ઓકટોબરથી નવી સીઝનની હરરાજી

(રામસિંહ મોરી) સુત્રાપડાઃ સંસ્થાના આદ્ય સ્થાપક અને પૂર્વ મંત્રી જશાભાઈ બારડના અધ્યક્ષ સ્થાને સંસ્થાના લાયસન્સદાર વેપારી ભાઈઓની મીટીંગ મળેલ અને જેમાં અગામી સિઝનમાં હરાજી અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ. જેમા નવી સિઝનની શરૂઆત ૧ ઓક્ટોબર-૨૦૨૨ને શનિવારથી સવારના ૯-૩૦ કલાકે થી હરાજીની કામગીરીનો શુભારંભ પ્રાસલિ માર્કેટિંગ યાર્ડ થી કરવામાં આવશે. આ મિટિંગમાં વેપારી ભાઈઓ,અધિકારીઓ સ્ટાફ વિગેરેઍ હાજરી આપેલ અને ખેડૂત ભાઈઓને ખેત ઉત્પન જણસીઓ માર્કેટ યાર્ડમાં વેચવા માટે લાવવા જણાવેલ અને ખરો તોલ ખુલ્લી હરાજી અને રોકડા નાણાનો લાભ લેવાનું જણાવવામાં આવેલ છે.

(11:07 am IST)