Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

જામનગરમાં નટુભાઈ ત્રિવેદી દ્વારા નેત્રયજ્ઞ - દંત યજ્ઞ યોજાયો

જામનગર : જામનગરના વિવિધ ત્રિવેદી ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા શ્રી મુખ્‍ય સ્‍વામિનારાયણ મંદિર ખાતે નેત્ર યજ્ઞ તથા દંત યજ્ઞનું આયોજન થયેલ હતું. નેત્રયજ્ઞ રાજકોટના શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલના સહયોગથી યોજવામાં આવેલ. જેમાં ડો. આનંદ પરમારની સેવાઓનો ૧૫૮ દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૪ દર્દીઓને વિનામૂલ્‍યે નેત્રમણિ બેસાડી આંખના મોતિયાનું ઓપરેશન કરાવી આપેલ હતું.  જ્‍યારે રોટરી ક્‍લબ ઓફ રાજકોટ (પ્રાઈમ)ના સહકારથી રાજકોટના નિષ્‍ણાંત ચિકિત્‍સક ડો. જયસુખ મકવાણાની સેવાઓનો લાભ ૪૭ દર્દીઓને મળેલ હતો. જેમાં હલતા દાંત, જલંધર પદ્ધતિથી દુખાવા વગર દાંત કાઢી આપેલ અને ઔષધીઓ આપી રાહત ભાવે દાંતના ચોકઠા બનાવ્‍યા હતા.

(10:09 am IST)