Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

સાવરકુંડલા તાલુકામાં કોરોના મૃતકોના વારસદારો માટે રૂા. પ૯ લાખ મંજુર

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલા, તા. ર૯ :  ગત વર્ષે કોરોના મહામારી એ વિકરાળ રૂપ ધારણ કરતા કોરોનાના પોઝીટીવ દર્દીઓમાંથી કેટલાયે હતભાગી દર્દીઓ મૃત્યુ પામેલા ત્યારે સરકાર દ્વારા આવા મૃત્યુ પામેલા દર્દીના પરિવાર પ્રત્યે સંવેદના દર્શાવવા પચાસ હજાર રૂપિયાની સહાય આપવાનો નિર્ણય કરેલો જેના અનુસંધાને સાવરકુંડલા તાલુકામાંથી કોવીડથી મૃત્યુ પામેલા એકસો અઢાર દર્દીઓના પરિવારજનોને ચુકવવા માટે ઓગણસાઇઠ લાખ રૂપીયા મંજુર કરવામાં આવ્યા છે. જે રકમની ચુકવણી માટે મામલતદાર શ્રી એફ.જે. માંકડાના માર્ગદર્શન નીચે મામલતદાર કચેરી દ્વારા વહીવટી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે. અને ટુંક સમયમાં એકસો અઢાર દર્દીઓના વારસદારોની રકમની ચુકવણી શરૂ કરવામાં આવનાર હોવાનું મામ. કચેરીનાં રજનીભાઇ મહેતાએ જણાવ્યું છે.

 

(4:26 pm IST)