Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મોરબીના ગોકુલનગર સહિતના રોડનું મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે ખાતમુર્હત કરાશે: ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બેઠક યોજાશે .

મોરબી :રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે શનિવારે મોરબી શહેરના ગોકુલનગર સહિતના વીસ્તારમાં રોડ રસ્તાના ખાતમુર્હત કરવામાં આવશે તે ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે બેઠક યોજાશે
મોરબીમાં મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે તા. ૨૯ ને શનિવારે સવારે ૧૦ : ૩૦ કલાકે શહેરના ગોકુલનગર મેઈન રોડ તેમજ અન્ય વિસ્તારમાં રોડના ખાતમુર્હત તેમજ ડિવાઈડરના કામોનું ખાતમુર્હત કરવામાં આવશે બાદમાં બપોરે ૧૨ કલાકે માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિ, સહકાર, માર્ગ મકાન અને સિંચાઈ જેવા વિભાગોને લગતા પ્રશ્નો અંગે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી લોક પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરાશે  તેમજ જાહેર પ્રશ્નોની રજૂઆત હોય તેવા પ્રશ્નો માર્કેટિંગ યાર્ડ મોરબી ખાતે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સાંભળશે તેમ યાદીમાં જણાવ્યું છે.

(4:26 pm IST)