Gujarati News

Gujarati News

News of Saturday, 29th January 2022

મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસ, ૨૫૨ દર્દીઓ સ્‍વસ્‍થ થયા

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા)મોરબી તા ૨૯ : મોરબી જીલ્લામાં કોરોનાના નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો કોરોના કેસો કરતા રીકવરી રેટ વધુ જોવા મળી રહ્યો છે. શુક્રવારે વધુ ૨૫૨ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે જેથી જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક ઘટીને ૧૪૨૩ થયો છે
 નવા કેસોમાં મોરબી તાલુકાના ૯૯ કેસો જેમાં ૩૧ ગ્રામ્‍ય અને ૬૮ શહેરી વિસ્‍તારમાં, વાંકાનેરના ૧૭ કેસો જેમાં ૧૨ ગ્રામ્‍ય અને ૦૫ શહેરી વિસ્‍તારમાં, હળવદ તાલુકાના ૦૬, ટંકારા તાલુકાના ૦૬ અને માળિયા તાલુકાના ૧૦ કેસો ગ્રામ્‍ય પંથકમાં મળીને નવા ૧૩૮ કેસો નોંધાયા છે તો ૨૫૨ દર્દીઓ સ્‍વસ્‍થ થયા છે જીલ્લામાં એક્‍ટીવ કેસનો આંક હવે ૧૪૨૩ થયો છે.

 

(12:09 pm IST)