Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

સુરેન્દ્રનગરમાં જિલ્લા સંકલન બેઠક યોજાઇ

 સુરેન્દ્રનગર : જિલ્લા કલેકટર ઉદ્દીત અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી તે વખતની તસ્વીર. આ બેઠકમાં કલેકટરે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં નહેરમાંથી પાણીની ચોરી અટકાવવા સઘન પગલાં લેવામાં આવશે. જેમાં જિલ્લામાંથી પસાર થતી નર્મદા પાઈપ લાઈનમાં ગેરકાયદેસર રીતે પાણીની ચોરી અટકાવવા પેટ્રોલીંગ સહિતની કાર્યવાહી કરવામાં આવશે.  આ બેઠકમાં ધારાસભ્યો નૌશાદ સોલંકી, ઋત્વિક મકવાણા, પરસોતમભાઈ સાબરીયા,  જિલ્લા વિકાસ અધિકારી   મનીષ બંસલ, જિલ્લા પોલીસ અધિક્ષક દીપક મેઘાણી, નિવાસી અધિક કલેકટર ચંદ્રકાંત પંડયા તેમજ તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.(૨૧.૧૯)

(12:48 pm IST)