Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

આટકોટ પાસે ૧૭ વર્ષની આદિવાસી તરૂણીનો ગળેફાંસો ખાઇ આપઘાત

(કરસન બામટા દ્વારા) આટકોટ, તા.૨૮: જસાપર પાચવડા રોડ પર આદીવાસી તરુણી એ ઝાડ પર ગળાફાંસો ખાઇ આપધાત કરી લીધો હતો.

પ્રાપ્‍ત વીગતો અનુસાર આટકોટમાં પાંચવડા જસાપર રોડ ગૌશાળા પાસે સરીતા ભુરુભાઈ સિગડ ઉંમર ૧૭ યુવતી અગમ્‍ય કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. તેમના પિતા ભુરુભાઈ જણાવ્‍યું હતું કે એમને સંતાન માં બે પુત્રો અને એક પુત્રી હતી. પુત્રી મગજ બીમારી હોય જેને કારણે તેમણે ગળાફાંસો ખાઇ આપધાત કર્યો છે. સરપંચ હરીભાઇ ડાયાભાઇ મકવાણા. મહેન્‍દ્રભાઈ નાનાભાઈ વ્‍યાસ. વીપુલભાઈ ટાઢાણી, પ્રફુલભાઈ ટાઢાણિ સહિત સેવા ભાવી લોકો દોડી ગયા હતા અને તેમને દવાખાને ખસેડવામાં આવ્‍યા હતા. આટકોટ પોલીસ સ્‍ટેશન જમાદાર અશોકભાઈ વાવડીયા. અરવિંદભાઈ પોલીસ દોડી ગયા હતાં અને જરૂરી કાગળો તૈયાર કર્યો હતાં.(તસવીરોઃ કરશન બામટાઃ આટકોટ)

(1:27 pm IST)