Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

જુનાગઢ જિલ્લાનાં ત્રણ તાલુકા વિકાસ અધિકારીની ટ્રાન્સફર

જુનાગઢ, વંથલી, વિસાવદરના ટીડીઓ બદલાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૮: જૂનાગઢ જિલ્લાનાં ત્રણ સહિત પ૮ તાલુકા વિકાસ અધિકારીઓની સરકારનાં નાયબ સચિવ શ્રી હિતેશ ગોહિલ દ્વારા બદલી કરવામાં આવી છે.

જેમાં જુનાગઢ તાલુકા વિકાસ અધિકારી જયદીપકુમાર એસ. પટેલની મહેસાણા જિલ્લાનાં બેચરાજી ખાતે બદલી કરાયેલ છે.

તેમજ વિસાવદરનાં ટીડીઓ સુબોધકુમાર પી. દુદખીયાની પણ મહેસાણા જિલ્લાનાં ખેરાલુ ખાતે અને વંથલીનાં તાલુકા વિકાસ અધિકારી પી. એલ. વાઘાણીની રાજકોટ જિલ્લાનાં જેતપુર ખાતે બદલી થયેલ છે.

જયારે બેચરાજી ખાતેથી આર. વી. ઠાકોરને જુનાગઢ ખાતે અને ખેડા જિલ્લાનાં મહેદાબાદ ખાતેથી પારસ એ. ચૌહાણને જુનાગઢ જિલ્લાના વંથલી ખાતે મુકવામાં આવ્યા છે.

(1:31 pm IST)