Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

સૂત્રપાડામાં નવા રોડનું ધારાસભ્‍ય ભીખાભાઇ બારડ દ્વારા ખાતમુહુર્ત

 સૂત્રાપાડા : તાલાલાના ધારાસભ્‍ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડની ગ્રાન્‍ટ માંથી ખોડીયાર મંદિરથી હીરાકોટ બંદર સુધી રસ્‍તો મંજૂર થયેલ હતો તેનું ખાતમુહૂર્ત  નવરાત્રીના પ્રથમ નોરતે તાલાલાના ધારાસભ્‍ય ભગવાનભાઈ ધાનાભાઈ બારડના હાથે કરવામાં આવ્‍યું. આ તકે મામલતદાર, હીરાકોટ બંદરના મુસાભાઈ (પટેલ), હરેશભાઈ (માજી પટેલ) ,કાન્‍તિભાઈ રામાભાઈ, નરસીંહભાઈ કોટવાડીયા ,અયુબભાઈ (પટેલ), કદવાર ગામના તાલુકા પંચાયતના સદસ્‍ય ખીમાભાઇ,મેરામણભાઈ સોલંકી, બીજલભાઈ ભજગોતલ, લાટી ગામના સરપંચ નારણભાઈ સોલંકી, કોળી સમાજના પટેલ રમેશભાઈ બારડ, લાટી ગામના ઉપસરપંચ વિજયભાઈ મેવાડા, સદસ્‍ય જેન્‍તીભાઇ બારડ, તાલુકા પંચાયત સુત્રાપાડાના પ્રમુખ પ્રતાપભાઈ જાદવ, વિરસીગભાઈ તથા જશુભાઇ સોલંકી, પંકજભાઈ પંપાણીયા બચુભાઈ નાઘેરા હરણાસા ગામના સરપંચ સુભાષભાઈ નાઘેરા ,ગોવાઆતા નાથાભાઈ રામ , મહેન્‍દ્રભાઈ રામ, ભીખાભાઈ દાનાભાઈ, દાનાભાઈ શુકલભાઈ બધા મહેમાનો સાથે ધારાસભ્‍યએ રસ્‍તાના શ્રી ગણેશ કરેલ હતા.(તસ્‍વીર-અહેવાલ : રામસિંહ મોરી સુત્રાપાડા)

(12:09 pm IST)