Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામનગર દશાશ્રીમાળી વણિક મંડળ (કામદારવાડી)ના હોદેદારોની બિનહરિફ વરણી

જામનગર : દશાશ્રીમાળી વણિક મંડળ (કામદાર વાડી)ની વર્ષ ર૦રર થી ર૦ર૪ના પ્રમુખ સહિતના હોદેદારો તેમજ કારોબારી સભ્‍યોની  બિનહરીફ વરણી થઇ હતી. વર્ષ ર૦રર થી ર૦ર૪ માટે દશાશ્રીમાળી વણિક મંડળ કામદારવાડીના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે  પ્રમોદભાઇ ભગવાનજીભાઇ કોઠારી, ઉપપ્રમુખ તરીકે સુશીલભાઇ શાંતિલાલ કામદાર, મંત્રીત રીકે સંજયભાઇ મનસુખલાલ ટોલિયા, ખજાનચી તરીકે પંકજભાઇ વાધર, સહમંત્રી તરીકે અજયભાઇ રમણીકલાલ શેઠ, ઓડીટર તરીકે રાજુભાઇ કામદાર તથા કારોબારી સભ્‍યો તરીકે શામળશા ઉદાણી, જીજ્ઞેશભાઇ શાહ, જયેશભાઇ પતિરા, સુનિલભાઇ કોઠારી, પુનીતભાઇ શેઠ, કૌશિકભાઇ ટોલીયા તથા નિશાંતભાઇ પારેખની વરણી કરાઇ છે. આ બિનહરીફ વરણી કરવા માટે સંસ્‍થાના હિતમાં ચુંટણી ન થાય અને સંસ્‍થામાં પરિવારભાવ જળવાઇ રહે તે હેતુથી સંસ્‍થાના સભ્‍યો દ્વારા સર્વાનુમતે  એક સિલેકશન કમિટીની રચના કરવામાં આવી હતી. જેમાં નિલેશભાઇ કગથરા, ધીરૂભાઇ શેઠ, કુશભાઇ ઉદાણી, બીપીનભાઇ વાધર, નિલેશભાઇ ઉદાણીની વરણી કરવામાં આવી હતી. આ સિલેકશન કમીટીના નિર્ણયને તમામ લોકોએ આવકારી અને નવી જાહેર થયેલ ટીમને શુભકામનાઓ પાઠવી હતી. સંસ્‍થામાં છેલ્લા ર૦ વર્ષથી બિનહરીફ પસંદગીની પરંપરા સિલેકશન કમિટીની મહેનતથી જળવાઇ રહી છે. આ તકે સંસ્‍થાના આગેવાનો પુર્વ પ્રમુખ હસમુખભાઇ શાહ (ગટુભાઇ) ડો. બીપીનભાઇ સંઘવી, પ્રકાશભાઇ દોશી, એડવોકેટ મહેશભાઇ પારેખ, પ્રો. વાય.સી. મહેતા, શૈલેષભાઇ શેઠ, ડો.કલ્‍પનાબેન ખંઢેરીયા, દિલીપભાઇ જસાણી, કિરીટભાઇ શાહ સહિતના અગ્રણીઓ ઉપસ્‍થિત રહી નવી ટીમને શુભેચ્‍છા પાઠવી હતી.

(1:19 pm IST)