Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

જામનગર વોર્ડ નં-૧૬માં ભાજપ પરિવારે ‘‘મન કી બાત'' સમુહમાં નિહાળ્‍યો : ટીફીન ભોજન- સંગઠનની ચર્ચા-વિચારણા

જામનગર : વોર્ડ નંબર ૧૬ ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની મન કી બાતના કાર્યક્રમ  શક્‍તિકેન્‍દ્ર નંબર ૯૦.૯૧.૯૨ નો સયુકંત કાર્યક્રમ પુર્વ કોપોરેટર ચંદુભાઈ કાછડીયાના નિવાસસ્‍થાને  નિહાળેલ  ત્‍યારબાદ  સર્વ કાર્યકતાઓ સાથેમળીને ટીફીન ભોજન કરેલ અને સંગઠનની ચર્ચા  વિચારણા કરેલ હતી. આ કાર્યક્રમ મા ઉપસ્‍થિત  શહેર યુવા મોરચા ના મહામંત્રી  ચિંતનભાઈ  ચોવટીયા વોર્ડ નંબર ૧૬ ના પ્રમુખ ધનજીભાઈ  કછટીયા મહામંત્રી યોગેશ ભાઈ ભટ્ટ  શહેર મહીલા મોરચા  ઉપપ્રમુખ નિતાબેન પરમાર  મહિલામોરચાના વોર્ડ પ્રમુખ હર્ષાબા  જાડેજા  મહામંત્રી ભાવનાબેન રાવલ અને  મુકુંદભાઈ બદીયાણી તથા વોર્ડ ના કાર્યકર્તા  ઉપસ્‍થિત રહ્યા હતા. 

(1:13 pm IST)