Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

મોરબીમાં લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુક્ત કરવા લોક દરબાર યોજાયો.

મોરબીમાં પોલીસ અધિક્ષકની ઉપસ્થતિમા લોકોને વ્યાજખોરોના ત્રાસથી મુક્ત કરવા લોક દરબાર યોજાયો હતો.

 

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામે પોલીસ અધિક્ષક અધ્યક્ષતામા લોક દરબાર યોજાયો હતો. જેમાં ગ્રામજનોને વ્યાજખોરોના ચક્રમાં ન ફસાવા અંગે તેમજ સરકારની વિવિધ યોજનાઓ તેમજ સસ્તી લોન અંગે બેંક સંબંધી જરૂરી માહિતીથી વાકેફ કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત જો કોઈ નાગરિક વ્યાજખોરોના ચક્રમા ફસાયેલ હોય તો નિર્ભય બની પોલીસનો સંપર્ક કરે તેવી અપીલ કરવામાં આવી હતી.આ લોકદરબારમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાળા, PI સોલંકી, PSI બગડા, તેમજ આશરે 100 જેટલા આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

(11:44 pm IST)