Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ભાવનગરના રાજપરા ખાતે કાલથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ

વક્‍તા શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૮  : આગામી રવિવારથી શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવાર દ્વારા રાજપરા ખાતે રવિવારથી શ્રીમદ્દ દેવી ભાગવત સપ્તાહ યોજાશે.

રવિવાર તા .૨૯થી શનિવાર તા.૪ દરમિયાન મહંત શ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ કથા રસપાન કરાવશે.  શ્રી ખોડિયાર મંદિર મહંત પરિવાર રાજપરા દ્વારા ભાગવત સપ્તાહના આ આયોજન દરમિયાન જાણિતા કલાકારો શ્રી કિર્તીદાન ગઢવી અને પોપટભાઈ માલધારી,  માયાભાઈ આહીર અને શ્રી સાગર દાન ગઢવી દ્વારા ભજન લોકડાયરા કાર્યક્રમ રાખવામાં આવેલ છે તથા શ્રી કિંજલબેન દવે દ્વારા માતાજીના ગરબાના કાર્યક્રમનો લાભ મળનાર છે.

(11:29 am IST)