Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનાથી ખંભાળીયામાં એકનું મોત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન રાબેતા મુજબ વધતા કોરોનાના નવા કેસ વચ્ચે ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે આ વચ્ચે ગઈકાલે ખંભાળિયાના એક દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું પણ નોંધાયું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન ભાણવડ તાલુકામાં ૫, દ્વારકા તાલુકામાં ૨૨, કલ્યાણપુર તાલુકામાં ૨૧ અને ખંભાળિયા તાલુકામાં ૨૦ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. બુધવારે ૩૫ તથા ગઈકાલે ગુરૂવારે ૩૩ મળી કુલ ૬૮ નવા પોઝિટિવ દર્દીઓ સામે આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના અંગે કરવામાં આવતા ટેસ્ટમાં બુધવારે ૮૭૪ તથા ગઈકાલે ગુરૂવારે ૧,૨૫૬ મળી, કુલ ૨૧૩૦ ટેસ્ટ થયા છે. આ સાથે જિલ્લામાં ડિસ્ચાર્જ થતાં દર્દીઓની સંખ્યા પણ વધી છે. ભાણવડ તાલુકામાં બુધવારે ૭, દ્વારકા તાલુકામાં બુધવારે ૧૬ અને ગુરુવારે ૪૦, કલ્યાણપુર તાલુકામાં બુધવારે ૩ અને ગુરુવારે ૪ અને ખંભાળિયા તાલુકામાં બુધવારે ૧૭ અને ગુરુવારે ૧૨ દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. આમ જિલ્લામાં બુધવારના ૪૩ અને ગુરુવારના ૫૬ મળી, કુલ ૯૯ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે.

આ વચ્ચે ખંભાળિયા તાલુકાના કોરોના સંક્રમિત એવા અનેક દર્દીનું મૃત્યુ નીપજયું હોવાનું ગઈકાલે જાહેર થયું છે.

(11:01 am IST)