Gujarati News

Gujarati News

News of Friday, 28th January 2022

સગીરાનું અપહરણ કરનારા ન પકડાય તો કોંગ્રેસ દ્વારા રાણાવાવ બંધની ચિમકી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૮ :.. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાંથી સગીરાનાં અપહરણ મુદ્‌્‌ે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નાથાભાઇ ઓડેદરા તેમજ રાણાવાવ શહેર પ્રમુખ મોહનભાઇ કોડીયાતર તેમજ રાણાવાવ ઉપપ્રમુખ અમીનભાઇ પઢીયાર અને મહામંત્રી રફીકભાઇ સુમરા તેમજ મહામંત્રી ભિમાદાનાં કોડીયાતર અને કોંગ્રેસના આગેવાનો પીડિત પરિવારો સાથે રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં પી. એસ. આઇ. યાદવને ઉગ્ર રજૂઆત કરી હતી. જયાં તેઓની સાથે પણ ગેરવર્તન કર્યુ હોય ત્‍યારે અમે પીડિત પરિવાર સાથે સી. પી. આઇ. ને રજૂઆત કરવા ગયા હોય ત્‍યારે તે પણ પોલીસ સ્‍ટેશનમાં હાજર ન હોય ત્‍યારે મગનભાઇ જમાદારને રજૂઆત કરી હતી અને આ આરોપીઓને સોમવાર સુધીમાં પકડવામાં નહિ આવે તો રાણાવાવ શહેરને બંધનું એલાન આપી ને પીડિત પરિવાર સાથે કોંગ્રેસના આગેવાનો દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવશે.

 

(10:30 am IST)