Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારનો જૂનાગઢ ખાતે સન્માન સમારંભ યોજાયો

જૂનાગઢ તા.૨૭:સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપભાઇ પરમારનું જૂનાગઢ ખાતે જિલ્લાના ઓ.બી.સી. તથા એસ.સી. સમાજના વિવિધ વર્ગો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ.

આ સન્માન સમારંભમાં મેયરશ્રી ધીરૂભાઇ ગોહેલ તેમજ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ જે.કે.ચાવડા, અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષશ્રી જીતુભાઇ મણવર, જૂનાગઢ જિલ્લામાં આવેલ ઓ.બી.સી. જાતિ છાત્રાલયો/આશ્રમશાળાનાં સંચાલક મંડળના પ્રમુખશ્રી રામભાઇ વાળા, સહકારી આગેવાન શ્રી જેઠાભાઇ પાનેરા, આહિર સમાજના અગ્રણી લક્ષ્મણભાઇ પીઠીયા અને અનુસૂચિત જાતિ છાત્રાલય/આશ્રમશાળાઓના સંચાલક મંડળના અગ્રણી શ્રીમતિ વંદનાબેન મકવાણા, માજી ધારાભ્યશ્રી, સામતભાઇ રાઠોડ, જેન્તીભાઇ ચાંડપા, બીજલભાઈ સોંદરવાતેમજ જૂનાગઢ જિલ્લાના ઓ.બી.સી. અને એસ.સી. સમાજના આગેવાનશ્રીઓ બહોળીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી પરમારે ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કાર્યરત વિવિધ કલ્યાણકારી  યોજનાઓની માહિતી તેમજ આ યોજનાઓનો લાભ ગુજરાતના છેવાડાના નાગરીકોને મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા લેવામા આવેલ પગલાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.ઉપરાંત જુનાગઢ ઓ.બી.સી./એસ.સી. છાત્રાલય/આશ્રમશાળા સંચાલક મંડળ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો અન્વયે મંત્રીશ્રીએ આવનાર સમયમાં સુખદ નિરાકરણ લાવવામાં આવશે તેવું જણાવેલ.  જે.કે.ચાવડા તથા જીતુભાઇ મણવર દ્વારા આભારવિધી  કરવામાં આવી હતી. 

(12:50 pm IST)