Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથના કાર્તકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે નહિ યોજાઈ

કોરોનાકાળને કારણે દરવર્ષે કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી યોજાતો મેળો ટ્રસ્ટ દ્વારા નહિ યોજવા નિર્ણંય

સોમનાથ : વિશ્વ પ્રસિદ્ધ સોમનાથના કાર્તકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે નહિ યોજવા નિર્ણંય કરાયો છે  સોમનાથના સાનિધ્યમાં આ પરંપરાગત  મેળો દરવર્ષે યોજાય છે પરંતુ આ વર્ષે કોરોના કાળને કારણે મેળો નહીં યોજાઈ

સોમનાથ ટ્રસ્ટના સચિવ પી કે લહેરીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે  પ્રતિવર્ષ એ યોજાતો આ મેલો આ વખતે ટ્રસ્ટ દ્વારા નહી યોજાય
સોમનાથના સાનિધ્યમાં કાર્તિકી અગિયારસથી પૂનમ સુધી આ મેલો યોજાય છે અને લાખો લોકોં આ મેલો માણવા અને સોમનાથ દર્શન કરવાસોમનાથ આવે છે

(5:17 pm IST)