Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મોરબીમાં પૂર્વ ધારાસભ્ય દ્વારા ગૌશાળામાં સવાસો મણ ઔષધિયુક્ત સુખડી વિતરણ કરાયું.

વડાપ્રધાન  મોદીના ૭૨ માં જન્મદિવસ નિમિતે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા ૭૨,૦૦૦ કિલો ઔષધિયુક્ત સુખડી બનાવી ગાયોને ખવડાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો હોય જે અંતર્ગત આજે મોરબીની બે ગૌશાળામાં ગાયોને સુખડી અર્પણ કરવામાં આવી હતી

પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આજે સુખડી વિતરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરના વાવડી રોડ પર કબીર આશ્રમ તેમજ બગથળા નકલંક આશ્રમ ખાતે ગૌશાળામાં ગાય માતાને ઔષધિયુક્ત સુખડી અર્પણ કરી હતી ગાય માતાને સવાસો મણ સુખડી અર્પણ કરી હતી જે પ્રસંગે મહંત દામજી ભગત, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા સહિતના અગ્રણીઓ જોડાયા હતા.

 

(11:23 pm IST)