Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

જોડિયામાં શ્રી અંબાજી ગરબા મંડળ દ્વારા બાળાઓ દ્વારા નવરાત્રી આરાધના, મહાપ્રસાદ , શોભાયાત્રા

વાંકાનેર : જોડીયા ગામે છેલ્લા ૧૫ વર્ષથી શ્રી માં નવદુર્ગા સમિતિ દ્રારા પહેલા નોરતે જોડીયા ગામના તમામ ગરબા મંડળ ની બાળાઓ,સંચાલકો તેમજ ગામની ધર્મપ્રેમી જનતાની ઉપસ્‍થીતીમાં જોડીયા ગામે શ્રી માં નવદુગાની શોભા યાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ શોભા યાત્રા જોડીયા ગામના મુખ્‍ય માર્ગો પર થઇ અંબાજી ચોક જોડીયા માં પુરી કરવામાં આવેછે. જ્‍યાં સાંજના માં નવદુર્ગા ની મહા આરતી કરી નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવેછે. ત્‍યાર બાદ ગામના તમામ ગરબા મંડળની બાળાઓને સંજયભાઇ ડી. ચૌહાણ તરફથી ૩૫૦ થી ૪૦૦ બાળાઓને લ્‍હાણી વિતરણ કરવામાં આવે છે.અને ત્‍યારબાદ  અશોકભાઇ ડી.વર્મા પરિવાર તથા  ભગવાનજીભાઇ સી.વાંક પરિવાર તરફથી બાળાઓ,તથા અંબાજીચોકમાં હાજર તમામ લોકો માટે ભોજનની વ્‍યવસ્‍થા કરવામાં આવેછે. આ પ્રસંગે જામનગરના સાસંદ પુનમબેન માડમની વ્‍યથતાના કારણે પ્રત્‍યેક હાજરી નથી હોતી પરંતુ પરોક્ષ રીતે પ્રતિનીધી દ્રારા શુભેચ્‍છા સંદેશ પાઠવવા માં આવેછે. ચાલુ વર્ષ પણ તા.૨૬-૯-૨૦૨૨ ને આસો સુદ એકમના દિવસે વર્ષોની પરંપરા મુજબ શ્રી માં નવદુર્ગા નુ ધામધુમ થી આવાહન કરી નવરાત્રી મહોત્‍સવનો પ્રારંભ કરવામાં આવેલ હતો. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રી માં નવદુર્ગા સમિતિ તથા અંબાજી ગરબા મંડળ દ્રારા અથાક પરિશ્રમ કરવામાં આવે છે.

(11:44 am IST)