Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વિસાવદર પાલિકા પ્રમુખ-ઉપપ્રમુખ સામેની અવિશ્વાસ દરખાસ્ત નામંજૂર : ભાજપની એકતા અખંડ : કોંગ્રેસનો દાવ નિષ્ફળ

 

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૨૭: નગર પાલિકાના પ્રમુખ કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા તથા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ પોપટભાઈ ડોબરીયા સામે કોંગ્રેસના (૧) રહીમભાઈ ગફારભાઈ મોદી (૨) જસુમતિબેન ભરતભાઈ વ્યાસ (૩) રજનીકાન્તભાઈ આણંદભાઈ ડોબરીયા (૪) વર્ષાબેન મનહરભાઈ દાફડા (૫) ઇલ્યાસભાઈ ઈસ્માલભાઈ મોદી (૬) કિર્તિબેન પરશોતમભાઈ સોજીત્રા (૭) મનીષભાઈ સમજુભાઈ રિબડીયા (૮) ગીતાબેન મનીષભાઈ રિબડીયા (૯) ઉષાબેન જયદીપભાઈ દાહીમા (૧૦) ડિમ્પલબેન રાજેશભાઈ રિબડીયા સહિત ૧૦ કોંગ્રેસનાં સભ્યોની સહીથી અગાઉ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરાઈ હતી. આ અવિશ્વાસ પ્રસ્તાવ અંગેની જનરલ બોર્ડની બેઠક ગઈકાલે યોજાઈ હતી.જેમાં ભાજપના ચૂંટાયેલા ૧૧ તથા સમર્થક ૨ સભ્યો મળી કુલ ૧૩ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્તની વિરૂધ્ધમાં મતદાન કરતા આ દરખાસ્ત નામંજૂર થઈ હતી.કોંગ્રેસના સદસ્યો બેઠકમાં હાજર જ રહ્યા ન હતા.!!

અત્રે ઉલ્લેખનીય છે કે,વિસાવદર નગર પાલિકાના કુલ-૨૪ સભ્યો પૈકી કોંગ્રેસનાં ૧૩ અને ભાજપનાં ૧૧ સભ્યો ચૂંટાયા હતા.જેમાં કોંગ્રેસનાં ૨ સભ્યોએ ભાજપને ટેકો આપતા ૧૩ની સભ્ય સંખ્યા સાથે ભાજપ સત્ત્।ા સ્થાને છે.કોંગ્રેસનાં ૧ સદસ્ય શ્રીમતિ કિરણબેન વિનોદરાય પુરોહિતનુ અવસાન થતા હાલ વિપક્ષી છાવણી કોંગ્રેસમાં ૧૦ સભ્યો છે.

 

જાણકારોના મતે કુલ-૨૪ પૈકી ૧૬ સભ્યો અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કરે તો જ પ્રસ્તાવ મંજૂર થઈ શકે. પરંતુ ભાજપની એકતા અખંડ રહેતા કોંગ્રેસનો રાજકીય દાવ નિષ્ફળ ગયો હતો.

(12:50 pm IST)