Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ભાવનગરમાં મેલેરિયા જાગૃતિનું નાટક

ભાવનગર : ભરતનગર આરોગ્‍ય કેન્‍દ્ર અને સહજાનંદ નર્સિંગ કોલેજના સહયોગથી બાળકોમાં મેલેરિયા જાગૃતિ માટે નાટક દ્વારા ખૂબ સુંદર રજૂઆત કરવામાં આવી. તેમજ ધો.૬ થી ૮ ની દીકરીઓને માસિકધર્મ વખતે રાખવાની કાળજી બાબતે માહિતી આપવામાં આવી. જેમાં ભરતનગર આરોગ્‍ય કેન્‍દ્રના ડો. ભાવેશભાઈ વળીયા અને સહજાનંદ નર્સિંગ કોલેજના ક્રિષ્‍નાબેન હાજર રહ્યા હતા.

(10:34 am IST)