Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

દ્વારકા-પોરબંદર નેશનલ હાઇ-વે પર સર્જાયેલા અકસ્‍માતમાં માતા-પુત્રના મોતથી અરેરાટી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ર૭ : દ્વારકા-પોરબંદર નેશનલ હાઇ-વે પર સર્જાયેલા અકસ્‍માતમાં માતા-પુત્રના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે.

કલ્‍યાણપુર તાલુકાના લાંબા ગામના સીમ વિસ્‍તારમાં રહેતા હેમીબેન  ડાડુભાઈ માડમ નામના ૬૨ વર્ષના આહિર મહિલાને સાથે લઈને તેમના  પુત્ર માલદેભાઈ ડાડુભાઈ માડમ (ઉ.વ. ૪૧) સતાપર ગામે આવેલી  તેમની વાડી ખાતે તેમના મોટરસાયકલ પર બેસીને જઈ રહ્યા હતા,  ત્‍યારે પોરબંદર - દ્વારકા માર્ગ પર સતાપર ગામ નજીક પહોંચતા રોડ  ક્રોસ કરતી વખતે ભોગાત ગામ તરફથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક  આવી રહેલા જી.જે. ૦૩ એમ.આર. ૫૦૦૮ નંબરના વોક્‍સવેગન  કંપનીની એક મોટરકારના ચાલકે માલદેભાઈના મોટર સાયકલ સાથે  ધડાકા સાથે અકસ્‍માત સર્જ્‍યો હતો. આ જીવલેણ ટક્કરમાં ગંભીર  રીતે ઘવાયેલા મોટરસાયકલ ચાલક માલદેભાઈ તથા તેમના માતા  હિંમીબેનના કરુણ મોત નીપજ્‍યા હતા.  

અકસ્‍માત સર્જી, આરોપી મોટરકાર પોતાની કાર મૂકીને ઘટના  સ્‍થળેથી નાસી છૂટયો હતો. આ સમગ્ર બનાવ અંગે મળતક  માલદેભાઈના મોટાભાઈ રામશીભાઈ ડાડુભાઈ માડમ (ઉ.વ. ૪૨) ની  ફરિયાદ પરથી કલ્‍યાણપુર પોલીસે ગુનો નોંધી, આગળની  તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્‍લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

(4:58 pm IST)