Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

જુનાગઢ રૂદેશ્વર જાગીર ભારતી આશ્રમે ધ્વજવંદન અને સંત-મિલનનો કાર્યક્રમ યોજાયો

જુનાગઢ : રૂપાયતન રોડ સ્થિત શ્રી રૂદેશ્વરજાગીર ભારતી આશ્રમ ખાતે પૂ. ઇન્દ્રભારતીબાપુ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં પૂ. ઇન્દ્રભારતીબાપુ શેરનાથબાપુ સહિત ગિરનાર મંડળના સંતો તેમજ ધારાસભ્ય ભીખાભાઇ જોષી, પૂર્વ ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા, તેમજ રાષ્ટ્ર વંદના મંચ ગુજરાત પ્રેરિત આ સંત મિલન અને રાષ્ટ્ર ધ્વજવંદનાના આ કાર્યક્રમમાં રાષ્ટ્રવંદના મંચના ગુજરાત પ્રદેશ પ્રમુખ ડી. જી. વણઝારા, (પૂર્વ આઇપીએસ) તેમજ જેઠાભાઇ પાનેરા, યોગેન્દ્રસિંહ પઢીયાર, ગોપાલભાઇ ભુવા, નિર્ભય પુરોહીત, રામભાઇ ભુતિયા, જસકુભાઇ ડાંગર, જીતેન્દ્રસિંહ સોલંકી સહિતનાએ ધ્વજવંદન કર્યુ હતું. બાદમાં સંત મિલનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આધુનિક ભારતની રાજય વ્યવસ્થા અને સમાજ વ્યવસ્થામાં સંતોનું સ્થાન ભૂમિકા અને ભાવિ સંકેત વિષય પર પરિસંવાદ યોજાયેલ હતો. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર મુકેશ વાઘેલા)

(12:11 pm IST)