Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

પોરબંદર અંબિકા હાઉસીંગ સોસાયટીના ગેટ પ્રશ્ને રાષ્ટ્રીય જન ચેતના પાર્ટીની રજૂઆત

પોરબંદર તા.૨૭ : રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી દ્વારા પાલિકા ચીફ ઓફીસર તથા કલેકટરને આવેદન આપીને અંબિકા હાઉસીંગ સોસાયટીના ગેટની પરવાનગી પ્રશ્ને રજૂઆત કરી છે.

રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી પોરબંદર જિલ્લાના પ્રમુખ મહેશભાઇ નાંઢા તથા ઉપપ્રમુખ વિનુભાઇ ભુંડીયા તથા મહામંત્રી પરેશ ઉમરાનીયાએ ભારતી વિદ્યાલયથી ઉપર આવેલ અંબિકા હાઉસીંગ સોસાયટી તથા અન્ય ગેટ નાખેલ ૩૬ ગલીઓની મુલાકાત લીધેલ અને તેમની સમસ્યા જાણેલ. જેમાં સોસાયટીમાં ખુટીયા તથા કૂતરાઓનો ત્રાસ છે અને તમામ વાહનો ખુંટીયાઓ દ્વારા તોડી નાખેલ છે તથા વૃધ્ધો અને બાળકોને લગાડી દે છે તે માટે સોસાયટીના લોકો દ્વારા ન.પા.ને બંધ ગલીમાં ગેટ ફીટ કરવા પરવાનગી માંગેલ અને તે પછી ગેટ નાખેલ અને તે ગેટ તોડી નાખવા ન.પા. દ્વારા તમામ સોસાયટીઓને નોટીસ આપેલ છે અને ગેઇટ નહિ કાઢે તો જેસીબી થી તોડી નાખવા ધમકી આપી છે.

આ ગેઇટ કોઇને નડતર નથી કોઇ વ્યકિતએ તે નડતર થતી હોય તેની ફરીયાદ પણ કરી નથી તેમ છતા આ ગેટ કાઢી નાખવા પોરબંદર ન.પા. દ્વારા કાર્યવાહી કરાઇ છે. તે બાબતે રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટી પોરબંદર દ્વારા અંબિકા સોસાયટી તથા અન્ય તમામ સોસાયટીના ગેટને દૂર કરાય તે બાબતે પોરબંદર ન.પા.ના ચીફ ઓફીસર શ્રી પટેલ તથા કલેકટરશ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી છે.

(12:01 pm IST)