Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મોરબીમાં આહીર સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો.

મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા ૧૩ મો વિદ્યાર્થી સન્માન સમારોહ મચ્છોયા આહીર જ્ઞાતિ વાડી ખાતે યોજાયો હતો જેમાં માળિયા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠોડ અધ્યક્ષસ્થાને તેમજ સમારોહના ઉદ્ઘાટક તરીકે વવાણીયા રામબાઈમાં જગ્યાના મહંત કિશનદાસજી ઉપસ્થિત રહ્યા હતા સમારોહમાં તેજસ્વી છાત્રોને સન્માનિત કરવામા આવ્યા હતા

કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી બાદમાં મંડળના મંત્રી મયુરભાઈ ગજીયાએ આમંત્રિત સર્વે મહેમાનોનું સ્વાગત કર્યું હતું મંડળના પ્રમુખ અજયભાઈ ડાંગરે છેલ્લા ૧૩ વર્ષથી મંડળ દ્વારા થતી કામગીરીનો ચિતાર આપ્યો હતો  તેમણે ભવિષ્યના વર્ષોમાં યોજનાર કાર્યક્રમના દાતાઓ અત્યારથી તેમને દાન નોંધાવી સહકાર આપી રહ્યા છે તે મંડળની સફળ કામગીરી ગણાવી હતી
મોરબી રામધન આશ્રમના મહંતા ભાવેશ્વરી બહેને મંડળની કામગીરી બિરદાવેલ તથા વિદ્યાર્થીઓને આશીર્વાદ આપેલ. મુખ્ય વક્તા તરીકે એડિશનલ કલેક્ટર જયશ્રીબેન કુંભરવાડીયા, એડિશનલ કલેકટર ઈલાબેન આહીર તથા આસિસ્ટન્ટ કમિશનર જીએસટી નિર્મળભાઈ ગોગરાએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે કયા અવકાશો રહેલા છે અને તે શું કરી શકે તેમ છે તે સંદર્ભે તર્કસંગત વક્તવ્ય આપેલ. જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે સમાજની આદર્શલક્ષી વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે સંદર્ભે પણ તેમણે તર્ક મુકેલ. જ્ઞાતિના આ ત્રણેય ઉચ્ચ અધિકારીઓના વક્તવ્યો અસરકારક રહ્યા હતા તેમજ ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ હરદાસભાઇ ડાંગર તથા ડો. હર્ષાબેન મોરે પણ વિદ્યાર્થીના કારકિર્દી વિકાસ માટેના સૂચનો કર્યા હતા
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના આહીર જ્ઞાતિના ધોરણ ૧૦, ૧૨ અને ઉચ્ચ શિક્ષણના ફાઇનલ વર્ષમાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર ૫૬ જેટલા વિદ્યાર્થીઓને શીલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા સમાજના કુલ ૧૨૩ જેટલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો અને પેનથી સન્માનવામાં આવ્યા હતા ઉપરાંત ગત વર્ષ દરમિયાન મંડળના જે કર્મચારીઓ સેવા નિવૃત્ત થયેલ હોય તેમને પણ નિવૃત્તિ સન્માન આપવામાં આવ્યું હતું કાર્યક્રમના દાતા તરીકે કાળુભાઈ પોલાભાઈ ચાવડાએ આર્થિક સહયોગ આપ્યો હતો
કાર્યક્રમમાં જ્ઞાતિના આગેવાન લાખાભાઈ જારીયા, દેવાભાઈ અવાડિયા, ટંકારા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ નિમુબેન ડાંગર, પ્રકાશભાઈ ચબાડ, ભાવિકભાઈ જારીયા, નરસંગભાઇ હુંબલ, દિનેશભાઈ ગરચર, શર્મિલાબેન હુમ્બલ, ડો. સંદીપભાઈ ચાવડા, રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળના મનસુખભાઈ બાળા તથા કિરીટભાઈ મૈયળ, પૂર્વ પ્રમુખ રામભાઈ વારોતરીયા તથા મહેન્દ્રભાઈ કચોટ, વવાણીયા રામબાઈમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી જશુભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા  કાર્યક્રમને સફળ બનાવવા માટે કર્મચારી મંડળની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમના અંતે મંડળના ઉપપ્રમુખ વિક્રમભાઈ ડાંગરે આભાર વિધિ કરી હતી.

(12:42 am IST)