Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જૂનાગઢના અદના આદમી યાકુબ ચાચાએ સામેથી મળીને વિદાયમાન આપતા ડીવાયએસપી જાડેજા ભાવવિભોર બની ગયા

જૂનાગઢ તા. ૨૬ : તાજેતરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બદલી અમદાવાદ ખાતે થતા, એક અજાણ્યા નંબર (૯૮૨૫૫ ૧૫૯૧૩) થી વોઇસ મેસેજ આવ્યો. વોઇસ મેસેજ માં સિનિયર સિટીઝન દ્વારા ડીવાયએસપીની બદલી બાબતે પોતાને દુઃખ થયેલ છે, પોતે તેમના સારા કામથી પરિચિત છે, પોતે એકવાર મળવા આવેલ પણ મળી શકાયું નથી. પોતે અવારનવાર ખ્વાજા ગરીબ નવાઝ ના દર્શને જાય ત્યારે ડીવાયએસપી માટે દુઆ માંગે છે, પોતે ડીવાયએસપી જાડેજાને એસપી તરીકે જોવા માંગે છે, વિગેરે લાગણી સભર ભાષામાં જણાવેલ.

આ યાકુબ ચાચાનો રુંજ્ઞ્ણૂફૂ ૃફૂસ્નર્સ્નીફિંૂ આવ્યો હતો એટલે ડીવાયએસપી જાડેજાને એમ થયું કે, માણસને હું ઓળખતો નથી, એનું કામ પણ નથી કર્યું, છતાં મારા ઉપર લાગણી છે મારા માટે ગરીબ નવાઝમાં પ્રાર્થના કરે બદલીથી દુઃખ થાય જેને કાઈ લેવા દેવા નથી એસપી તરીકે જોવા માંગે છે એટલે આને મળવું પડે, જેથી તેઓએ યાકુબ ચાચાને ફોન કરીને પોતે મળવા માંગે છે, તો યાકુબ ચાચા એ પોતે જ સાંજે ડીવાયએસપી ઓફીસ આવવાનું જણાવેલ હતું.

સાંજના સમયે યાકુબભાઈ બ્લોચ રેલવે સ્ટેશન સામે, ડીવાયએસપી કચેરી પહોંચી ગયા. ડીવાયએસપી જાડેજા તથા સ્ટાફ દ્વારા તેઓને ચા પાણી પાઈને, લોકો જૂનાગઢમાંથી વિદાય લેતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરતા હોય, ત્યારે ડીવાયએસપી જાડેજા દ્વારા ર્ંસામન્ય લાગણીશીલ માણસ યાકુબ ચાચા ને તેઓની જૂનાગઢ પોલીસની નિસ્વાર્થ લાગણી બાબત સાલ ઓઢાડી, સન્માન કરવામાં આવ્યું. ડીવાયએસપી કચેરી ખાતે આવેલ સામાન્ય અદના આદમી એવા સિનિયર સિટીઝન યાકુબ ચાચાને અનેરું માન મળતા, યાકુબ ચાચાએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આશીર્વાદ આપી, આભારની લાગણી વ્યકત કરી, ભાવવિભોર થયા હતા. ડીવાયએસપી જાડેજા દ્વારા પણ યાકુબ ચાચાને ભલે પોતાની બદલી થઈ ગઈ પણ કોઈ જરૂરિયાત હોય તો ગમે ત્યારે ફોન કરવા જણાવી, મદદ કરવા તત્પરતા બતાવી હતી.

ફરી ફરીવાર પોલીસ પ્રજાનો મિત્ર છે,એ સૂત્રને સાર્થક કરતો, સામન્ય માણસની પોલીસ પ્રત્યેની લાગણી અને પોલીસ અધિકારી દ્વારા અદના આદમી એવા સિનિયર સિટીઝન રિટાયર્ડ એસટી ડ્રાઇવર યાકુબભાઈ બ્લોચ ઉર્ફે યાકુબ ચાચાને આપવામાં આવેલ સન્માન કરવાનો કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો સાબિત થયેલ છે.

(1:53 pm IST)