Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

જામનગરના શ્રી એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૦૮ સર્વજ્ઞાતિય સમૂહલગ્નોત્સવના આયોજન માટે લોહાણા સમાજની મીટીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ : જામનગરના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ લાલ તથા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઇ લાલના પિતા સ્વ.હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) (માજી મત્રી ગુજરાત રાજય)ના પ્રેરણાથી રચાયેલ શ્રી હરિદાસ જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા.૫-૧૦ બુધવાર (વિજયાદશમી)ના રોજ ઓશવાળ સેન્ટર ખાતે હાલાર સર્વજ્ઞાતિય ૧૦૮ સમૂહ લગ્નોત્સવ આયોજીત કરવામાં આવેલ છે. તેમાં સમગ્ર હાલાર વિભાગના અલગ-અલગ સમાજના ૧૦૮ યુગલો પ્રભૂતામાં પગલા માંડશે.આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવના સુચારૂ આયોજન માટે અને આ લગ્નોત્સવમાં વિવિધ સમાજના અગ્રણીઓ, શ્રેષ્ઠીઓ, રાજકિય મહાનુભાવો, સંતો-મહતો વિગેરે પણ ઉપસ્થિત થવાના હોય. સમગ્ર કાર્યક્રમને આખરી ઓપ આપવા માટે જામનગર શહેરના સમસ્ત લોહાણા સમાજની મીટીંગનું આયોજન તા.૨૫ ને રવિવારના રોજ સાજે ૭-૦૦ કલાકે સમૂહ લગ્નોત્સવ કાર્યાલય, કેઅર ઓફ શ્રી એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ, ત્રણબતિ ઝુલેલાલ મંદિર સામે રાખવામાં આવેલ છે.

આ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવ લોહાણા સમાજના પ્રમુખના પરિવાર દ્વારા આયોજીત થયેલ હોય સમગ્ર સમાજ આ સમૂહ લગ્નોત્સવમાં યજમાન પદે જોડાઈને કાર્યક્રમને સફળ બનાવે તેવા શુભહેતુ સાથે યોજાયેલ ઉપરોકત મિટીંગમાં લોહાણા સમાજના શ્રેષ્ઠીઓ, વડિલો, મહાજનના હોદેદારો, યુવા સંસ્થા, મહિલા મંડળોના હોદેદારો, કમિટી મેમ્બરો તેમજ પ્રતિવર્ષ લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનમાં સેવા આપતા સ્વયંસેવક (ભાઈઓ-બહેનો) યુવાનોને સમયસર ઉપસ્થિત થવાજીતુભાઈ લાલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.

(2:49 pm IST)