Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કેશોદમાં રતિદાદા આશ્રમની મુલાકાતે પુ. ભાઇશ્રી

જુનાગઢઃ ગિરનારી સાધક પૂ. રતિદાદાના કેશોદ સ્થિત આશ્રમ જયજગન્નાથ ખાતે ભાગવતાચાર્ય પુ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા એ પધરામણી કરી હતી તેમનું પરંપરાગત રીતે શાસ્ત્રોકત વિધીથી હિમાંશુભાઇ જોષીએ સ્વાગત કર્યું હતું. પુ. ભાઇશ્રીએ રતિદાદાની સાધના કુટીરમાં બેસી તેમણે ખુબ શ્રધ્ધાભાવથી રતિદાદાની સાધના સ્મરણો વાગોળીયા હતા આ સમયે પુ. રતિદાદાના પુસ્તકો ભાઇશ્રીને ડો. વિશાલ જોષી એ અર્પણ કર્યા હતા અને પુ. ભાઇશ્રીએ દાદાને સ્મરણાંજલિ અર્પી હતી આ તકે સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરોમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા જુનાગઢ)

 

(12:15 pm IST)