Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

શ્રી સોમનાથ મહાદેવને અમાસ નિમિત્તે પુષ્‍પ શ્રૃંગાર : માસિક શિવરાત્રીના જયોત પૂજન, મહાપૂજા - આરતી

વેરાવળ - પ્રભાસપાટણઃ પ્રથમ જયોતિર્લિગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્‍યે માસિક શિવરાત્રી નિમિતે શ્રી સોમનાથ મંદિરે રાત્રિના જયોત પૂજન શ્રી સોમનાથ ટ્રસ્‍ટના સેક્રેટરી યોગેન્‍દ્રભાઇ દેસાઇ, દાતા પીંકેશભાઇ કોટેચા, વેરાવળ પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ પિયુષભાઇ ફોફંડી, ટ્રસ્‍ટના એકઝીકયુટીવ ઓફિસરશ્રી, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કરવામાં આવેલ હતુ. આ પૂજનમાં ટ્રસ્‍ટના અધિકારી / કર્મચારીઓ, તીર્થ પુરોહિતો, દર્શનાર્થીઓ જોડાયા હતા. રાત્રે મહાપુજન અને મધ્‍યરાત્રીના ૧૨ કલાકે મહાઆરતી કરવામાં આવેલ હતી. મહાશિવરાત્રિ પર્વે શિવ કૃપા પ્રાપ્‍ત કરી ભકતો ધન્‍ય બન્‍યા હતા. જયારે અમાસના વિશેષ શૃંગાર કરવામાં આવ્‍યા હતા.(તસ્‍વીર-અહેવાલઃ દિપક કક્કડ (વેરાવળ) દેવાભાઇ (પ્રભાસપાટણ)

(10:29 am IST)