Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ડીઝીટલ રાધા-કૃષ્ણ સ્પર્ધાના વિજેતા બાળકોનો સન્માન સમારોહ યોજાયો.

મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા જન્માષ્ટમિના પાવન પર્વ નિમિતે વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા ડીઝીટલ રાધા કૃષ્ણ સ્પર્ધાનુ સોશિયલ મિડીયાના માધ્યમથી આયોજન કરવામા આવેલ હતુ. જેમા ૧૫૦થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

જેમાંથી ૨૫ જેટલા બાળકો ને અલગ-અલગ કેટેગરી અનુસાર વિજેતા જાહેર કરવામા આવ્યા હતા. તે બાળકો ના ઈનામ વિતરણ તથા સન્માન સમારોહનુ મોરબી જલારામ મંદિર ખાતે આયોજન કરવામા આવેલ જેમા દરેક વિજેતા બાળકોને સર્ટીફિકેટ તેમજ ઈનામ અર્પણ કરવામા આવ્યા હતા
આ તકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત અગ્રણી તેમજ જીલ્લા અગ્રણીઓ, આરએસએસ અગ્રણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ મોરબીના મંત્રી નીર્મીતભાઈ કક્કડની યાદી જણાવે છે.

(10:46 am IST)