Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

મોરબી જલારામ મંદિર દ્વારા માઁ આશાપુરાના પદયાત્રિકો માટે ભવ્ય મોબાઈલ સેવાકેમ્પ યોજાશે

મોરબી : શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી દ્વારા પ્રતિવર્ષ માઁ આશાપુરા ની આરાધના માટે જતા પદયાત્રિકો માટે ભવ્ય સેવાકેમ્પનુ આયોજન કરવા મા આવે છે ત્યારે પ્રવર્તમાન વર્ષે સંસ્થા દ્વારા મોબાઈલ સેવા કેમ્પ નુ આયોજન કરવામા આવેલ છે.
જે અંતર્ગત ચા-પાણી-નાસ્તો, ભોજન પ્રસાદ, મેડિકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ રહેશે. આ ભવ્ય સેવા કેમ્પ તા.૪-૧૦ થી ૬-૧૦ દરમિયાન માનકુવા થી માતા ના મઢ ના રૂટ પર ફરતો રહેશે. પદયાત્રા મા જતા પદયાત્રિકોને ઈમરજન્સી મેડીકલ સેવા તથા એમ્બ્યુલન્સ સેવા મેળવવા માટે હીતેશભાઈ જાની- મો.૯૮૨૫૩૨૬૭૨૯, ચિરાગભાઈ રાચ્છ-મો.૯૦૯૯૬૦૦૦૮૧ પર સંપર્ક કરવા શ્રી જલારામ સેવા મંડળ મોરબીના પ્રમુખ નિર્મિત કક્કડની યાદીમાં જણાવ્યું છે.

(10:35 am IST)