Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

જામનગરમા લમ્પી રોગના કારણે ગાયોના થઈ રહેલા ટપોટપ મોતને લઈને ગૌ ભક્તો માં ભારોભાર નારાજગી : વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને ગૌ ભક્તોના ધરણા

જામનગર:: શહેરમાં ગાયોમાં લમ્પી રોગના પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોમાં ગાયોના થઈ રહેલા ટપોટપ મોતને લઈને ગૌ ભક્તો માં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે. ત્યારે મહાનગરપાલિકામાં અગાઉ ગાયો માં આ રોગ ના લક્ષણો અટકાવવા તાત્કાલિક રસીકરણ થાય તેવી માગણી કરવામાં આવી છે. ત્યારે કોઈપણ જાતના તંત્ર દ્વારા પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ સાથે લાલબંગલા સર્કલમાં વિપક્ષી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા અને ગૌ ભક્તો એ ધરણા શરૂ કર્યા છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી,તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(1:14 pm IST)