Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

રવિવારે સદ્દગુરૂ શ્રી જગ્‍ગી વાસુદેવ જામનગરમાં

રાજવી જામસાહેબ શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને માન આપીને બાઇકમાં માટી બચાવો અભિયાન શરૂ કરનાર સદ્દગરૂને આવકારવા થનગનાટ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૬ : માટી બચાવો અભિયાન ચલાવનારા સદ્દગુરૂ શ્રી જગ્‍ગી વાસુદેવ તા.ર૯ ને રવિવારે જામનગર આવી રહ્યા છે.  રાજવી શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને માન આપીને તેઓ જામનગર આવી રહ્યા છે.

જામનગરના નેક નામદાર રાજવી શ્રી જામસાહેબ બાપુશ્રી શત્રુશલ્‍યસિંહજીના આમંત્રણને માન આપી ઇશા ફાઉન્‍ડેશનના સદ્દગુરૂ શ્રી જગ્‍ગી વાસુદેવ તા.ર૯/પ/ર૦રર ના પ્રતાપવિલાસ પેલેસ પધારી રહ્યા છ.ે

સદ્દગુરૂ જગ્‍ગી વાસુદેવ વિશ્વભરના ર૯ દેશોમાં ૩૦ હજાર કિલોમીટરની બાઇક સવારી કરી માટી બચાવો અભિયાન માટે જનજાગૃતિનું બીડુ ઝડપ્‍યું છે. તેઓની આ બાઇક યાત્રાને સમગ્ર વિશ્વમાં બહોળો પ્રતિસાદ સાંપડયો છે. સદ્દગુરૂ જગ્‍ગી વાસુદેવ તેમની યાત્રા પૂર્ણ કરી ભારતમાં પ્રથમ જામનગર પધારી રહ્યા છે. જે એક ઐતિહાસિક પ્રસંગ બનવા જઇ રહ્યો છે. આ નિમિતે જામનગરના પ્રતાપવિલાસ પેલેસ ખાતે આજે સાંજે ૬ વાગ્‍યે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્‍યું છે

(1:00 pm IST)