Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

જેતપુરમાં યુવા ઉદ્યોગપતિ દ્વારા રામમંદિર નિધીમાં ર.૧૧ લાખ અર્પણ

જેતપુરઃ અયોધ્યામાં નિર્માણ પામી રહેલ હિન્દુઓના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના મંદિરમાં નીધી સમર્પણ કાર્યક્રમ સમગ્ર દેશમાં ચાલતો હોય શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી દરેક લોકો સહયોગ આપી રહયા છે. શહેરના ધાર્મિક સંસ્થાન વેપારી પેઢી, ઉદ્યોગપતિઓ તેમજ દરેક લોકો યોગદાન આપી રહયા હોય કેબીનેટ મંત્રી જયેશભમાઇ રાદડીયા એ કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે ખેડુતોનો ચેક અર્પણ કર્યો હોય તેનાથી પ્રેરાઇ યુવા ઉદ્યોગપતી શૈલેષભાઇ હિરપરાએ લલીતભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં ર,૧૧,૦૦૧નો ચેક નિર્માણમાં આપેલ ઉપરાંત ચંદુભાઇ વઘાસીયા મહેશભાઇ કાપડીયા, પ્રશાંતભાઇ કોરાટ સહીતનાએ પણ નીધી અર્પણ કરેલ છે. સફળ બનાવવા જીલ્લા સંઘચાલક ડો. વેકરીયા, સંયોજક દિપકભાઇ ત્રીવેદી, છગનભાઇ, ઉસદડીયા, વિઠલભાઇ કણજારીયા, નરેન્દ્રભાઇ કોટડીયા સહીતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહયા છે. (તસ્વીરઃ અહેવાલઃ કેતન ઓઝા-જેતપુર)

(12:52 pm IST)