Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભાવનગરના અઘેવાડાની સીમમાં દિપડાના આંટાફેરા : પશુનું મારણ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૬ : ભાવનગરના અઘેવાડા ગામની સીમમાં દિપડો દેખાતા વન વિભાગની ટીમ દોડી ગઇ હતી અને પીંજરૂ ગોઠવી દીધું હતું.  પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર શહેરના છેવાડે આવેલા અઘેવાડા ગામની સીમમાં ફુલઝરીયા હનુમાન મંદિર પાસે દિપડાએ દેખા દીધા હતા અને પશુનું મારણ કર્યું હતું.  આ અંગે વન વિભાગને જાણ કરાતા ભાવનગર તાલુકાના આર.એફ.ઓ. વત્સલ પંડયા અને સ્ટાફ દોડી ગયા હતા અને દીપડાને પકડી પાડવા કવાયતના ભાગરૂપે પીંજરૂ ગોઠવી દીધું હતું.

(11:29 am IST)