Gujarati News

Gujarati News

News of Sunday, 25th July 2021

ગોંડલ તાલુકાના મોતીસર ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે

હડમતાળા કોલીથડ અને પાટીયાળી ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના

ગોંડલ તાલુકાના પાટીયળા ગામ પાસે આવેલ મોતીસર ડેમ તેની નિર્ધારિત સપાટીએ ૮૦ ટકા ભરાઈ જવામાં છે હજુ ૫૧૯૮ ક્યુસેક પાણી ની આવક ચાલુ હોવાથી ડેમ ના દરવાજા ગમે ત્યારે ખોલવામાં આવશે તો ડેમની નીચાણવાળા વિસ્તારોમાં આવતા હડમતાળા કોલીથડ અને પાટીયાળી ગામના લોકો એ નદી ના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા ફલડ કંટ્રોલરૂમ તરફથી જણાવવામાં આવ્યું છે

(6:46 pm IST)