Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

સુરેન્‍દ્રનગરના રતનપરના વેપારી પર હૂમલો કરી મોબાઈલની લૂંટ

૪ ઇજાગ્રસ્‍ત : પોતાની જમીનમાં પાયા ગાળતાં હતાં ત્‍યાં એકાએક ૫ શખ્‍સો ધોકા અને છરી સાથે આવીને હૂમલો કર્યો : આ જગ્‍યા પર અમારો કબ્‍જો છે કહીને કરાયો હુમલોઃ જમીનમાં ખોટાં કબ્‍જા કરીને રૂપિયા પડાવવાનો કીમીયો

 વઢવાણ,તા.૨૫ :   શહેરના રતનપરમાં વિસ્‍તારમાં વેપારીની સાથે નજીવી બાબતમાં તકરાર કરી અને ચાર શકશો ઉપર ઘાતક હુમલો કરવામાં આવ્‍યો છે જ્‍યારે વ્‍યક્‍તિને સુરેન્‍દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડિકલ હોસ્‍પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી છે ત્‍યારે તાત્‍કાલિક અસરે પીએસઆઇ સહિતનો કાફલો ઘટનાસ્‍થળે પહોંચી અને તપાસ હાથ ધરી છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેરમાં ચર્ચાનો વિષય બન્‍યો છે વિગતો અનુસાર વેપારી પોતાની જમીનના મકાન બનાવવા માટે ના પાયા ખોદી રહ્યા હતા ત્‍યારે ૫ શખ્‍સોઆવી અને અહીંયા કેમ પાયા ગાળે છે તેમ જણાવી અને આવેલા ૫ શખ્‍સોએ ભેગા મળી અને એક જ પરિવારના ત્રણ સભ્‍યો તેમજ એક અન્‍ય શખ્‍સ ઉપર હુમલો કરી અને ચાર વ્‍યક્‍તિઓને ઈજા પહોંચાડી છે અને જમીન પચાવવા ના પણ -યત્‍નો કર્યા છે અને મોબાઇલની લૂંટ ચલાવી  ત્‍યારે   શહેરમાં જ્‍યારે કોઈ પણ વ્‍યક્‍તિ ની કોઈપણ જાતની સલામતી ન હોવાનું પણ હાલમાં ચર્ચાઈ રહ્યું છે  ઇજાગ્રસ્‍તોમાં અજયભાઈ કાટ લીયા તેમજ હિંમતભાઈ કાટ લીયા તેમજ હિંમતભાઈ ના સસરા કેશુભાઈ અને જયપાલ સિંહ સહિત ચાર વ્‍યક્‍તિઓને  સારવાર શરૂ કરવામાં  આવી છે.

 સુરેન્‍દ્રનગર જિલ્લાની કાયદો વ્‍યવસ્‍થા કથળી હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે ત્‍યારે સુરેન્‍દ્રનગર શહેર માં લુખ્‍ખા આવારા તત્‍વો નો ભારે ત્રાસ વધી ગયો છે.

(1:38 pm IST)