Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

જામનગરમાં ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા રવિવારે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે યોગ શિબિર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૫: ગુજરાત રાજયમાં યોગની પ્રવૃત્તિને વ્‍યાપક પ્રમાણમાં વિકસાવવા માટે અને જનતા સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે રાજય સરકાર દ્વારા ગુજરાત રાજય યોગ બોર્ડની રચના કરવામાં આવેલ છે.આ યોગ બોર્ડનો હેતુ રાજયના દરેક નાગરિકને સ્‍વસ્‍થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્‍સાહિત કરવાનો છે.

જે અંતર્ગત દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના યોગમય ભારતના સ્‍વપ્‍નને સાકાર કરવા માટે તથા યોગમય જામનગર બનાવવા માટે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા તા.૨૯/૫/૨૨ ના રોજ સવારે ૫.૩૦ કલાકથી ૭.૩૦ કલાક સુધી શહેરના અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.યોગ શિબિરના આ કાર્યક્રમમાં જામનગરની જનતાને ઉપસ્‍થિત રહેવા ચેરમેનશ્રી ગુજરાત રાજય યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.

(12:37 pm IST)