Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

વિસામણબાપુ વાળાએ ૧૦૦ વર્ષ પૂર્ણ કરતા અમરેલી જિલ્લા કોંગ્રેસના અગ્રણીઓની શુભેચ્છા

કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી અને પ્રખર ધારાશાસ્ત્રી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૪ : કાઠી ક્ષત્રીય સમાજના અગ્રણી અને પ્રખર ધારાશાસ્ત્રી વિસામણબાપુ વાળા એ પોતાના જીવન ના ૧૦૦વર્ષ પૂર્ણ કરેલ હોય, સતત સમાજના ઉત્થાન માટે પ્રયત્નશીલ અને અનેક લોકોને ન્યાય અપાવનાર વિસામણબાપુ વાળાની જિલ્લા કોંગ્રેસ સમિતિ અમરેલીના અગ્રણીઓએ  તેમના માણેકપરા , અમરેલી ખાતેના નિવાસસ્થાને મુલાકાત લીધેલ હતી, અને પૂન્નય વિસામણબાપુને શાલ ઓઢાડી અને ગુલદસ્તો આપીને સન્માન કરેલ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી, કોંગ્રેસ અગ્રણી અને નેતા વિપક્ષશ્રી પરેશભાઈ ધાનાણીના લઘુબંધુ  શરદભાઈ ધાનાણી, પૂર્વ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી ટીકુભાઈ વરૂ, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી જનકભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનીષભાઈ ભંડેરી, કોંગ્રેસ લીગલ સેલના પ્રમુખ અને ધારાશાસ્ત્રી નિસિથભાઈ પટેલ ઉપસ્થિત રભ હતા.

ઉપસ્થિત અગ્રણીઓએ વિસામણબાપુ વાળાને  શુભેચ્છા પાઠવી હતી અને દીર્ઘાયુ બની સતત સમાજ સેવા કરતા રહો એવી શુભકામના પાઠવી હતી.

 આ તકે વિસામણબાપુ એ પણ પોતાની જૂની યાદો તાજી કરી શુભેચ્છા મુલાકાતે ગયેલા અગ્રણીઓને આવકાર આપ્યો હતો.

(1:06 pm IST)