Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

૧પ વર્ષ પહેલા પ્રસંગમાં બોલાચાલી બાદ બન્ને વચ્ચે મનદુઃખ ચાલતુ'તું: વેરાવળમાં જતીન બાંડીયાની હત્યાં કરનાર સંજય કોટીયા ઝડપાયો

(દિપક કકકડ દ્વારા) વેરાવળ તા.ર૪ : વેરાવળમાં જતીન બાંડીયાની હત્યા કરનાર સંજય કોટીયાને વેરાવળ સીટી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો છે.

આરોપી સંજય કોટીયાની પ્રાથમીક પુછપરછ દરમ્યાન ખુલ્યુ કે. મૃતક જતીન તથા આરોપી સંજય આજથી પંદર વર્ષ પહેલા વેરાવળના ખારવાવાડમાં એક પ્રસંગમાં ભેગા થયેલ ત્યારે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારથી બન્ને વચ્ચે મનદુઃખ ચાલતું હતું. મૃતક જતીન જયારે જયારે આરોપી સંજયને મળતો ત્યારે તેની મશ્કરી કરતો રહેતો હતો. જેનો ખાર રાખી ગઇકાલે રાત્રીના પોણા આઠેક વાગ્યાના સુમારે મૃતક જતીન પોતાનું બાઇક ચલાવી ખારવાવાડ તરફથી આવતો હતો ત્યારે આરોપી સંજયે તેનો પીછો કરી બાઇકને લાત મારી મૃતક જતીનને નીચે પછાડી દઇ છરીના આડેધડ ઘા મારી ઘાતકી હત્યા કરી નાખી હતી.

આ કામગીરી જુનાગઢ રેનજ ડી.આઇ.જી.પી. મન્નીદર પરતાપસિંગ પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી તથા મદદનિશ પોલીસ અધિક્ષક ઓમ પ્રકાશ જાટની સુચનાથી વેરાવળ સીટી પોઇસ્ટેઇના ડી.ડી. પરમાર તથા એચ. બી.મુસાર તથા બી.એન. મોઢવાડીયા તથા આર.એચ.સુવા તથા  જેઠાભાઇ કટારા પીઠરામભાઇ જેઠવા તથા  દેવદાનભાઇ કુંભરવાડીયા તથા  ગીરીશભાઇ વાઢેર તથા  નટુભા બસીયા તથા  મયુરભાઇ વાજા તથા  અરજણભાઇ ભાદરકા તથા પ્રદિપસિંહ ખેર તથા કમલેશભાઇ ચાવડા તથા અશોકભાઇ મોરી તથા હ. પ્રવિણભાઇ બામણીયા તથા હ.રોહીતભાઇ ઝાલાએ કરી હતી.

(12:35 pm IST)