Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

જેતપુરમાં ગૃહ કંકાસમાં લાગી આવતા ગિરીશ મહિડાનો ઝેરી દવા પી લઇને આપઘાત

સમયસર સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર,તા. ૨૪: જેતપુર શહેરના યુવાને ગૃહ કંકાશમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા તેને સમયસર સારવાર ન મળતા સારવારને અભાવે તેનુ મોત નીપજ્યુ હતું.

વડલી ચોક વિસ્તારમાં રહેતો ગિરીશ વજુભાઇ મહિડા નામના ૨૭ વર્ષના યુવાને થોડા સમય પેલા હપ્તે જૂની બોલેરો ગાડી લીધી હતી અને હાલ કામ ધંધો સારી રીતે ચાલતો ન હોય એટલે હપ્તા ચડી ગયા હતા. જે બાબતે ઘરમાં ગૃહ કંકાસ થતા યુવાને ગતરાત્રીના સમયે ઝેરી દવા પિય લેતા તેને પ્રથમ શહેરની બે ખાનગી હોસ્પિટલે સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ ત્યાં ડોકટર રાત્રીના સમયે હાજર ન હોવાથી તેને સારવાર અર્થે ગોંડલ ખાનગી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો. ત્યાં પણ સારવાર ન મળતા તેને રાજકોટ સરકારી હોસ્પિટલે લઇ ગયા. અને ત્યાં પહોંચતા ફરજ પરના ડોકટરે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.

(12:32 pm IST)