Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

ગોંડલ નજીકના અકસ્માતમાં જસદણના ભાજપ આગેવાન અલ્પેશભાઇની ચાવીરૂપ ભૂમિકા

(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ તા. ર૪ :.. નેશનલ હાઇવે પર ભોજપરા અને બિલીયાળા વચ્ચે જે ભયાનક અકસ્માત બન્યો અને છ લોકો મૃત્યુ પામ્યા એમાંથી મૃતકના સાધુ ભાઇએ આ દુઃખદ ઘટનાની જાણ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઇ રૂપારેલીયાને કરી. અલ્પેશભાઇ એ ગોંડલના ધારાસભ્ય ગીતાબાના પુત્ર ગણેશભાઇ તેમજ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધી સમીરભાઇ કોટડીયાને મદદરૂપ થવા વિનંતી કરી. ગણેશભાઇએ પાંચ પોસ્ટમોર્ટમ ગોંડલમાં અને એક પોસ્ટમોર્ટમ રાજકોટમાં કઇપણ હેરાનગતિ ન થાય એ રીતે કરાવી આપ્યા ઘટના દરમ્યાન શિવમ સાર્વજનીક ટ્રસ્ટના પ્રમુખ દિનેશભાઇ ખૂબ મદદરૂપ બન્યા. ગણેશભાઇએ છ-છ મૃત દેહને સુરત મોકલી આપવાની વ્યવસ્થા કરી આપી આ ઉપરાંત અલ્પેશભાઇએ આ જાણ ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડોકટર ભરતભાઇ બોઘરા ને કરી. બોઘરાએ તાત્કાલીક આ જાણ પ્રદેશ અધ્યક્ષ શ્રી પાટીલ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલને કરી.

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે રાજકોટ - ગોંડલ નેશનલ હાઇવે પર બિલીયાળા પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં જાન ગુમાવનારા લેઉવા પટેલ પરિવારના મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરી તેમનાં શોક સંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી છે.

(11:36 am IST)