Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

બોટાદ : ઝમરાળા શ્રી ફફડાનાથની જગ્યામાં રાષ્ટ્રવંદના મંચ અને ગુરૂવંદના મંચની ધર્મસભા માટે મીટીંગ યોજાઇ

બોટાદ, તા. ર૪ : શ્રી ફફડાનાથની જગ્યામાં ધર્મસભાનો હેતુ આગામી તા. ર૩-૧ર-ર૦ર૧ ના રોજ અમદાવાદ ખાતે યોજાઇ રહેલ મહાસંમેલનમાં ગુજરાતભરના ગુરૂવંદના મંચ અને રાષ્ટ્રવંદના મંચના સંતો મહંતો અને મહાનુભાવો અને ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમી ભાવીકોની બહોળી ઉપસ્થિતિમાં અતિભવ્ય મહાસંમેલન યોજાવાનું છે તેના ભાગ રૂપે ગુજરાતભરના જીલ્લા તાલુકાના વિસ્તારમાં ધર્મસભાઓ (મીટીંગ)નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે ઝમરાળા શ્રી ફફડાનાથ ખાતે બોટાદ જીલલના ગુરૂવંદના મંચ અને રાષ્ટ્રવંદના મંચના સંતો મહંતો અને મહાનુભાવોની બહોળી ઉપસ્થિતિમાં મીટીંગ યોજાઇ હતી.

ભાવીકોની સભ્ય સંખ્યા વધારવા માટે રાષ્ટ્રવંદના મંચના બોટાદ જીલ્લા પ્રમુખ સામતભાઇ જેબલીયા મો. ૯૮ર૪૩ ૯૦૧૩૩ અને ગુરૂવંદના મંચના પ્રમુખ કથાકાર ભાવેશબાપુના મો. ૯૬૬પ૩ ૭ર૬૧૩ ને નિમણુંક કાર્ડ આપવામાં આવેલ છે. તો બોટાદ જીલ્લા તાલુકાઓમાંથી આ સંસ્થા સંગઠનમાં ભાવીકોએ વધારેમાં વધારે સંખ્યામાં જોડાવવા વિનંતી આ ધર્મ સભા (મીટીંગ) આ સંસ્થા સંગઠનના સ્થાપક અધ્યક્ષ પૂર્વ આઇ.પી.એસ. અધિકારી ડી.જી. વણજારા અધ્યસ્થામાં યોજાયેલ તેમાં ગુરૂવંદના મંના સંયોજક શ્રી કથાકારશ્રી રામેશ્વરબાપુ તથા સપ્તરૂપી એસ.પી. સ્વામી ગઢડા તથા ઉપાધ્યક્ષશ્રી પટેલ તથા સૌરાષ્ટ્ર જયદેવદાસબાપુ તથા બોટાદ જીલ્લાના અધ્યક્ષ સામતભાઇ જેબલીયા તથા ઉપાધ્યક્ષશ્રી કથાકાર ભાવેશબાપુ તથા કથાકાર હસુબાપુ બરવાળા તથા રાધેબાપુ નકળંગધામ લાઠી, તથા નિર્મળબાપુ કાપરડી-બરવાળા, તથા રા. રા. કરણીસેના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી રાજસેખાવતજી તથા સૌરાષ્ટ્ર જોનના પ્રમુખ વિરેન્દ્રભાઇ વાળા તથા યુવા અધ્યક્ષ અમીરાજભાઇ ધાધલ અને ધર્મપ્રેમી, રાષ્ટ્રપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:33 am IST)