Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

કચ્છમાં સ્કૂલ બસ અને બોલેરો ટકરાતાં રાજકોટના યુવાન એન્જિનિયરનું મોત

મૃતક યુવાન દીક્ષાંત હસમુખ અંટાળા કચ્છના ગઢશીશા ગામે સુઝલોન પવનચક્કીમાં ઈજનેર હતા

(વિનોદ ગાલા દ્વારા )ભુજ::: ભુજ, નખત્રાણા, નલિયાને જોડતાં હાઈવે ઉપર દેશલપર ગામ નજીક સ્કૂલ બસ અને બોલેરો જીપ વચ્ચે ટક્કર સર્જાતાં એકનું મોત થયું હતું જ્યારે બે ઇજાગ્રસ્ત થયા હતા. માંડવીના ગઢશીશા ગામે ફરજ બજાવતાં સુઝલોન કંપનીના સ્ટાફ સાથે બોલેરો જીપ પવનચક્કીના સમારકામ અને દેખભાળ માટે નલિયા નખત્રાણા વિસ્તાર માં જઈ રહી હતી. ત્યારે દેશલપર ગામ પાસે રોંગ સાઇડથી આવતી સ્કૂલ બસ બોલેરો સાથે ટકરાઈ હતી. બે વાહનો વચ્ચેની ટક્કરમાં મૂળ રાજકોટના અને હાલે ગઢશીશા ગામે રહેતા યુવાન એન્જિનિયર દીક્ષાંત હસમુખ અંટાળા નું અરેરાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે જીપમાં સવાર અન્ય બે અવનીશસિંઘ અને પરેશ પીઠવા ઇજાગ્રસ્ત થતાં તેમને ભુજની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે, સ્કૂલ બસમાં બેઠેલા બાળકોનો આબાદ બચાવ થયો હતો. લક્ષ્મીનારાયણ સંસ્કારધામ ની સ્કૂલ બસમાં છાત્રો સ્કૂલે આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. પોલીસે બોલેરો ચાલકની ફરિયાદ નોંધી સ્કૂલ બસના ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:26 am IST)