Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

મોરબીમાં “કિસાનોની જીત, લોકશાહીની જીત” બેનર સાથે કોંગ્રેસની પદયાત્રા વિજય રેલી યોજાઈ: જીલ્લા પ્રભારી, કોંગ્રેસ આગેવાનો જોડાયા.

મોરબી : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર કેન્દ્ર સરકારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે ત્યારે કોંગ્રેસ દ્વારા આજે સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન સાથે પદયાત્રા વિજય રેલી યોજવામાં આવી હતી
કોંગ્રેસના જીલ્લા પ્રભારી કરણદેવસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કે ડી પડસુંબીયા અને શહેર પ્રમુખ રાજુભાઈ કાવર સહિતના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં પદયાત્રા વિજય રેલી યોજવામાં આવી હતી જે રેલી કોંગ્રેસ કાર્યાલયથી સરદાર બાગ સુધી યોજવામાં આવી હતી
જે રેલીમાં કોંગ્રેસ દ્વારા કિસાનોની જીત અને તાનાશાહોની હાર જેવા બેનરો સાથે ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો તેમજ કિસાનોને એમએસપી વધુ આપો, અત્યાચાર બંધ કરો જેવા નારાઓ લગાવવામાં આવ્યા હતા ઉપરાંત કોંગ્રેસ દ્વારા સદસ્યતા અભિયાન અને જન જાગરણ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું

(9:46 pm IST)