Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

ભાવનગરમાં ૧૫ કેસો

જિલ્લામાં નોંધાયેલ કુલ ૪,૬૬૮ કેસો પૈકી ૮૧ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગર તા.૨૪: જિલ્લામા ૧૫ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૪,૬૬૮ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૦ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૨ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૨ તેમજ સિહોર ખાતે ૧ કેસ મળી કુલ ૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ૧૮ અને તાલુકાઓના ૨ એમ કુલ ૨૦ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૪,૬૬૮ કેસ પૈકી હાલ ૮૧ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૪,૫૧૨ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૮ દર્દીઓના અવસાન થયેલ છે.

(11:31 am IST)