Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

સોડવદરના યુવાને ગળાફાંસો ખાઇ જિંદગી ટૂંકાવી લીધી

લાખા ખાંભલા (ઉ.૩૨)ને ત્રણેક વર્ષથી માનસિક બિમારી હતી

રાજકોટ તા. ૨૪: જામકંડોરણાના સોડવદરના રબારી યુવાન લાખા કરણાભાઇ ખાંભલા (ઉ.વ.૩૨)એ ઘરે પતરાની આડીમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો.

આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઇમાં વચેટ હતો. ત્રણેક વર્ષથી માનસિક બિમારીની દવા ચાલુ હોઇ કંટાળીને પગલુ ભર્યાનું પરિવારજનો અને પોલીસે કહ્યું હતું.

(11:29 am IST)